માણસ બહારથી.....👇👇👇👇👇👇
માણસ બહારથી સારો,અંદર ખારો લાગે છે,
તોય બધાને આજ એ ઘણો પ્યારો લાગે છે.
ઘરનાં જ ઘર ભંગાવે ક્યાં કોઈ જાણે છે?
તોય સમાજમાં સૌને ઘણો દુલારો લાગે છે.
કરે કતી કોઈનું સારું તો વાહ વાહ થઈ જાય,
દંભી, લોભી તોય એ બધાને ન્યારો લાગે છે.
મણ ખાઈને મની પાટ બેસે એવો છે પાછો એ,
કામ કફરના તોય હંધાયને એ પ્યારો લાગે છે.
તનથી ઉજળો પણ એ મનથી ઘણો મેલો છે,
ભીતરથી જાણો તો કિચડ ને ગારો લાગે છે.
-"મોજીલો" માસ્તર
>>Click here to continue<<