ગઝલ:ભૂલી જવાની વાત ના ભૂલી શક્યા,
કવિ:હિંમતસિંહ ઝાલા
ભૂલી જવાની વાત ના ભૂલી શક્યા,
છે ખાનગી જે વાત ના બોલી શક્યા,
જુઓ પથારીવશ થઈ છે લાગણી,
આવ્યા હશે એ દ્વાર ના ખોલી શક્યા,
છે ઓળખીતા હાથમાં પથ્થર હવે,
દિલમાં થયા ઘાને ય ના ઝીલી શક્યા,
રડતા મને જોઈ એ રડશે પણ ખરા,
આસું છતાં પાછાય ના ઠેલી શક્યા,
એ દૂર મુજથી નીકળ્યા છે તો ખરા,
તોયે મિલનની આશને ના મેલી શક્યા,
હિંમતસિંહ ઝાલા
>>Click here to continue<<