ઉત્તર : પ્રેગ્નન્સી દરમિયાન ઘણી મહિલાઓને ગળ્યું ખાવાની વધારે ઇચ્છા થતી હોય છે. ગર્ભાવસ્તા દરમિયાન તમે આઇસક્રીમ પ્રમાણસર ખાઇ શકો છો. એ ધ્યાન રાખવું કે આઇસક્રીમ પેશ્ચુરાઇઝ્ડ દૂધમાંથી અથવા તો ઘરે બનાવેલો હોય તો વધારે સારું. અનહેલ્ધી સોફ્ટ આઇસક્રીમ ન ખાવ કેમ કે તેમાં બેક્ટેરિયા હોઇ શકે છે. તદુપરાંત, હાઇ કેફીન ધરાવતો આઇસક્રીમ ન ખાવ. તે સાથે આઇસક્રીમમાં ફેટ કેટલા પ્રમાણમાં છે, તેનું પણ ધ્યાન રાખવું. તમે ઇચ્છા થાય તો પ્રમાણસર આઇસક્રીમ ખાઇ શકો છો.
પ્રશ્ન : અમારાં લગ્નને એક વર્ષ થયું છે. મારા પતિની ઇચ્છા છે કે અમારે હજી બે વર્ષ સંતાન ન હોય તો સારું. મેં એમને સંમતિ આપી છે, પણ એ કહે છે કે મારે બર્થ-કન્ટ્રોલ પિલ્સ લેવી. એ કોઇ પ્રકારે પ્રીકોશન રાખવા નથી ઇચ્છતા. મેં સાંભળ્યું છે કે આ પિલ્સ વધારે સમય લેવાથી શારીરિક સાઇડ ઇફેક્ટ થાય છે. એ સાચું છે?
- એક યુવતી
ઉત્તર : તમારા પતિ અને તમે હમણાં સંતાન નથી ઇચ્છતાં અને તમારા પતિનું કહેવું છે કે તમે બર્થ-કન્ટ્રોલ પિલ્સ લો તો આ અંગે તમે કોઇ સારા ગાયનેકોલોજિસ્ટની પાસે જઇ, પહેલાં તો તમારી શારીરિક તપાસ કરાવો. સંતાન ન થાય એ માટે કઇ બર્થ-કન્ટ્રોલ પિલ્સ લેવી જોઇએ તે અંગે તેમને પૂછી જુઓ અને સાથોસાથ તેની સાઇડ ઇફેક્ટ શું થાય તે વિશે પણ જાણકારી મેળવી લો. ગાયનેકોલોજિસ્ટની સલાહ લીધા વિના તમારી જાતે જ કોઇ પ્રકારની દવાઓ લેતાં નહીં. ગાયનેકોલોજિસ્ટ જે પ્રિસ્ક્રાઇબ કરી આપે તે પિલ્સ લેવાથી સાઇડ ઇફેક્ટ થવાની સંભાવના પ્રમાણમાં ઓછી રહે છે.
પ્રશ્ન : મારી ઉંમર પાંત્રીસ વર્ષ છે. મને ડાયાબિટીસ છે. મને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી માસિકસ્રાવ નથી આવ્યો, તો શું મારો મેનોપોઝ શરૂ થઇ ગયો હશે? મને યોગ્ય માર્ગદર્શન આપશો. - એક મહિલા
ઉત્તર : ડાયાબિટીસના પેશન્ટે ખાણી-પીણીની બાબતમાં સચેત રહેવાની જરૂર છે. જો તમને ડાયાબિટીસ હોય અને તમને બ્લડસુગરનો ખ્યાલ ન રહેતો હોય, તો તમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘણી મહિલાઓને ડાયાબિટીસ હોય તો તેમના હોર્મોન્સમાં ફેરફાર થતા હોય છે. હોર્મોન્સ બદલાતા ઇન્સ્યુલિન વધે છે, જે ઇન્સ્યુલિન રેઝિઝટન્સ હોઇ શકે છે. જેના કારણે તમારા પીરિયડ્સ અનિયમિત થઇ શકે છે. અલબત્ત, ડાયાબિટીસ હોય તેવી તમામ મહિલાઓમાં આ સમસ્યા જોવા મળતી નથી. છતાં તમારી જેમ કેટલીક મહિલાઓને વહેલો મેનોપોઝ આવવાની કે પીરિયડ્સ વહેલા-મોડા આવવાની સમસ્યા થઇ શકે છે. પ્રશ્ન : અમારાં લગ્નજીવનને પચીસ વર્ષ થયા છે. સંતાનો પણ હવે કોલેજમાં આવે એવડા મોટા થઇ ગયા છે. મને ઘણી વાર પત્ની સાથે સંબંધ માણવાની ઇચ્છા થાય છે, પણ મારી પત્ની કહે છે કે હવે છોકરાઓ મોટા થયા છે અને તેમને બધી સમજણ પડે છે. એ મને પોતાની નજીક પણ આવવા દેતી નથી. મારે એને સંબંધ માણવા માટે કઇ રીતે મનાવવી? - એક પુરુષ
ઉત્તર : તમારાં પત્નીને કદાચ મેનોપોઝની શરૂઆત થઇ ગઇ હોય અને તેના કારણે તેઓ બાળકોનું બહાનું કાઢીને ના કહેતાં હોય એવું બની શકે છે. ઘણી મહિલાઓને મેનોપોઝ શરૂ થાય ત્યારે હોર્મોનલ ફેરફારને કારણે સંબંધ માણવાની ઇચ્છા થતી નથી. જ્યારે ઘણી મહિલાઓની ઇચ્છામાં વધારો થાય છે. તમારા કિસ્સામાં તમારાં પત્નીને સંબંધ માણવાની ઇચ્છા ન થતી હોવાને લીધે એ તમને ના કહે છે. જોકે બાળકોના બહાને તમને પાસે ન આવવા દેવા એ બાબત યોગ્ય નથી. તમે તેમની પાસે બેસો કે સ્પર્શ કરો, તો સંતાનો ભલે મોટા થયા હોય, તેઓ પણ માતા-પિતાની નિકટતાનો સહજ સ્વીકાર કરી શકે છે. તમે તેમને આ બધી બાબત પ્રેમથી સમજાવો અને સંબંધ માણવા માટે પણ તેમને જરૂરી શારીરિક ક્રીડાઓ દ્વારા તૈયાર કરો, તો એ ચોક્કસ તૈયાર થશે. પ્રશ્ન : મારા પતિને લગભગ રોજ સંબંધ બાંધવાની આદત છે. ક્યારેક એ વધારે પડતી ઉત્તેજના અનુભવે ત્યારે મને અંદરના ભાગમાં દુ:ખાવો થાય છે અને ઘણી વાર તો આના કારણે આંતરિક અંગોમાં સોજો પણ આવી જાય છે. મારે એમને કઇ રીતે સમજાવવા?
- એક યુવતી
ઉત્તર : તમારા પતિ ભલે રોજ સંબંધ બાંધે, પણ જ્યારે તમે તેમને પ્રતિભાવ આપો અથવા તો તેઓ વધારે પડતા ઉત્તેજિત હોય અને તમને તકલીફ પડતી હોય તો એમને એ દરમિયાન થોડા શાંત થવાનું કહો. તમને જે તકલીફ થાય છે, તે અંગે તેમને એક વાર પ્રેમથી બેસાડી શાંતિથી જણાવો અને એ તકલીફ ઓછી પડે તથા તમને બંનેને સહજીવનનો પૂરતો આનંદ માણવા મળે તે માટે કઇ રીતે સંબંધ બાંધવો એની મુક્ત મને ચર્ચા કરો. આનાથી તેમને પણ ખ્યાલ આવશે અને તમે બંને સુખમય સહજીવન માણી શકશો. પ્રશ્ન : મને એકવીસ વર્ષ થયાં છે. મેં મારા બોયફ્રેન્ડ સાથે એક-બે વાર શારીરિક સુખ માણ્યું છે. હવે મને અવારનવાર એની સાથે સાથ માણવાનું મન થાય છે. લગ્ન પહેલાં સાથ માણવો યોગ્ય નથી તે હું સમજું છું, પણ મારો મારી જાત પર કાબૂ નથી રહેતો. મારે શું કરવું?
>>Click here to continue<<