લઘુ કથા:થોર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/thor-135305066.html
પ્રકાશ કુબાવત
જગમલશેઠની જાહોજલાલી આખા પંથકમાં જાણીતી હતી. દીકરા માધવને વધુ કશું કરવાની જરૂર ન હતી. તે ગ્રેજ્યુએટ થઈને પેઢીએ બેસી ગયો.
જગમલશેઠે મહેક સાથે માધવનાં લગ્ન કરી દીધાં અને પુત્રી ચંપાને પણ ગર્ભશ્રીમંત કુટુંબમાં પરણાવી દીધી.
જિંદગી ક્યારે શું વળાંક લે તે કોઈ કહી શકતું નથી. કાર અકસ્માતમાં ચંપાના પતિનું મરણ થયું. ચંપા પુત્ર કરણ સાથે પિતાના ઘરે પાછી આવી.
જગમલશેઠ આ આઘાત સહન કરી શક્યા નહીં. તે પ્રભુના પ્યારા થઈ ગયા.
માધવ તો વહેલી સવારે પેઢીએ જતો રહેતો અને રાત્રે પાછો ફરતો. મહેકને ચંપા અને કરણ આંખના કણાની જેમ ખૂંચતાં.
માધવનો પુત્ર અંકિત દરરોજ બગીચામાં પાણી પાતો. કરણ પણ તેની પાસે ઊભો રહેતો. અંકિત જ્યારે પણ થોરને પાણી પીવડાવવા જતો ત્યારે મહેક કહેતી, ‘થોરને
પાણી પીવડાવવાનું ન હોય. નળી બંધ કરી છેલ્લે થોરના કૂંડામાં મૂકી દેવાની. ગુલાબ અને બીજાં ફૂલોને ભરપૂર પાણી આપવાનું.’
ચંપા અને કરણની હાલત પણ આવી જ હતી. વધ્યું-ઘટ્યું ખાવાનું મળતું. ગુલાબ સાથે થોર પણ આપોઆપ વિકાસ પામતો રહ્યો.
અંકિત એન્જિનિયર થઈને વિદેશ સેટ થઈ ગયો. મહેક એકવાર ખૂબ બીમાર પડી. અંકિતને ફોન કર્યો પણ તે આવ્યો નહિ. બીમારીથી મહેકને ખૂબ નબળાઈ આવી ગઈ. થોરના જીંડવાના રસે તેને નવજીવન બક્ષ્યું.
>>Click here to continue<<